નવજાત જન્મેલા બાળકોને રડતી વખતે આંસુ કેમ નથી આવતા, આવો જાણીએ
અશ્રુ નળી માંથી આંસુ ના ડ્રોપ
અશ્રુ નળી એક પાઈપલાઈન છે જે લેકરીમલ ગ્લેડ થી આંસુ લઇ ને આવે છે
આ લેક્રીમલ ગ્રંથિ બદામ આકારની બે કોથળી હોય છે.જે આપણી આંખ ના ખૂણાથી નાકને અડીને જાય છે. પરંતુ નવજાત બાળક ની આંખો માં લેક્રીમલ ગ્રંથિ આંખોમાં જવાની વળી કોથળી બાળકના જન્મના એક મહિના પછી બનાવવા ની ચાલુ થાય છે. બાળકોને લેક્રીમલ ગ્રંથિ બનવા માટે ત્રણ મહિનાનો સમય લાગે છે. આંખોમાં ડ્રેન્જર સિસ્ટમ પણ આવે છે.
એમ તો આંખો માંથી આંસુ નીકળે એ આંખો માટે ખુબજ સારું છે.હકીકતમાં આંખો માંથી આંસુ નીકળવાની પ્રક્રિયા એ ડ્રેન્જર સિસ્ટમ જેવું કાર્ય કરે છે.આ ગ્રંથિઓ આપણી આંખો ના ખૂણાઓને સ્પર્શ કરી ને નાકના આંતરિક શિરાઓ ને સ્પર્શ કરે છે. તેનું એ કારણ છે કે જયારે ધૂળના કણો અથવા જંતુઓ આંખમાં અથવા ઓછા ઘાયલ થાય છે ત્યારે આંસુ તરત જ ત્યાંથી વહે છે.
તેમાં 6 મહિના પણ સમય લાગે છે ...
આમ તો નવજાત બાળકો માં લેક્રીમલ ગ્રંથિ બનવાનો સમય 1 થી 3 મહિના વચ્ચે નો હોય છે પરંતુ ઘણીવાર 6 મહિનાના બાળકો રડતી વખતે આસું નથી આવતા. તે 6 મહિના સુધીનો સમય લે છે. તેમના પાછળ નું મુખ્ય કારણ ડીહાઇડ્રેશન અથવા અશ્રુ નળી માં કઈ પ્રકાર ની સમસ્યા હોય શકે. એવામાં બાળકોને પાણી અને વધારે માત્રામાં પ્રવાહી આપવું . અથવા બાળકની અશ્રુ વાહિનીમાં કોઈ બ્લોકેજ હોય તો તેની આંખોમાંથી પીળું પ્રવાહી નીકળશે. આ સમસ્યામાં તમે તત્કાલિક બાળ નિષ્ણાતનો સંપર્ક કરવો જોઈએ.
અમારો આ Gujarati Article વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર
આવાજ રસપ્રદ આર્ટિકલ વાંચવા અહીં ક્લીક કરો<< ગુજરાતી માહિતી >>
નવજાત જન્મેલા બાળકોને રડતી વખતે આંસુ કેમ નથી આવતા, આવો જાણીએ
Reviewed by ગુજરાતી માહિતી
on
April 05, 2019
Rating:
No comments: