આ ઝાડ ના દરેક અંગ ઔષધીય છે, જાણો એના ચમત્કારીક ફાયદા .....
ડાયાબિટિસ મટાડવા માટે ઉપયોગી છે આંકડો
આંકડાના છોડના પાંદડાને ઊંધુ કરીને પગની એડીમાં લગાવીને મોજા પહેરી લો, અને તે આખો દિવસ રહેવા દો ત્યારબાદ રાત્રે ઊંઘતા સમયે કાઢી નાખો. આ પ્રક્રિયા એક અઠવાડિયા સુધી કરવાથી ડાયાબિટિસ મટી જશે, અને બહાર નીકળેલું પેટ પણ ઓછું થઈ જશે.
ગઠિયા રોગને જડમૂળમાંથી નાબૂદ કરી નાખે છે આંકડો
આંકડાના મૂળને પાણીમાં ઘસીને લગાવવાથી નખનો રોગ મટી જાય છે. આંકડાના મૂળને છાંયડામાં સુકવીને પીસી લેવો અને એમાં ગોળ મેળવીને ખાવાથી શીત જ્વર શાંત થઇ જાય છે. આંકડાના મૂળ ૨ શેર વજન જેટલા લઇ એને ચાર શેર પાણીમાં ઉકાળો.
જ્યારે અડધું પાણી રહી જાય ત્યારે આ મૂળ કાઢી લેવાં અને પાણીમાં ૨ શેર ઘઉં નાખી દેવા. જ્યારે ઘઉં બધું પાણી શોષી લે ત્યારે આ ઘઉં કાઢી લઇ સુકવી લેવા. આ ઘઉંનો લોટ દળીને આ લોટની બાટી અથવા રોટલી બનાવી એમાં ગોળ તથા ઘી મેળવી દરરોજ ખાવાથી ગઠિયા બાદ દૂર થાય છે. ઘણા દિવસોથી હેરાન કરતો ગઠિયાનો રોગ ૨૧ દિવસમાં મટી જાય છે.
આંકડાના દૂધનો હલવો તમને નિરોગી રાખશે
આંકડાના મૂળના ચૂર્ણમાં મરી પીસીને મેળવી અને ૨-૨ રતી વજનની ગોળીઓ બનાવવી. આ ગોળીઓ ખાવાથી ખાંસી દૂર થાય છે. આંકડાના મૂળની છાલના ચૂર્ણમાં આદુનો અર્ક તથા મરી પીસીને મેળવી અને ૨-૨ રતીની ગોળીઓ બનાવી આ ગોળીઓ લેવાથી હૈજાનો રોગ દૂર થાય છે.
આંકડાની રાખમાં કડુઆનું તેલ મેળવીને લગાવવાથી ખંજવાળ મટી જાય છે. આંકડાના દૂધનો હલવો બનાવીને ખાવાથી જીવનમાં ક્યારેય તાવ આવતો નથી.
વાળ ખરતા અટકાવે છે આંકડાનું દૂધ
જે જગ્યા પર વાળ ખરી ગયા હોય ત્યાં આંકડાનું દૂધ લગાવવાથી વાળ ઊગી જાય છે, પરંતુ ધ્યાન રાખવું કે આ આંકડાનું દૂધ આંખમાં જાય નહીં કારણકે તેનાથી આંખ ખરાબ થઈ શકે છે...
અમારો આ Gujarati Article વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર
આ ઝાડ ના દરેક અંગ ઔષધીય છે, જાણો એના ચમત્કારીક ફાયદા .....
Reviewed by ગુજરાતી માહિતી
on
February 06, 2019
Rating:
Reviewed by ગુજરાતી માહિતી
on
February 06, 2019
Rating:

No comments: