ઘણી બીમારીઓથી બચાવે છે દેસી ઘી, તેનું સેવન કરવાથી થાય છે આ 8 ફાયદા


                    શરીરને તંદુરસ્ત રાખવા માટે લોકો ડોક્ટરની સલાહ પણ લેતા હોય છે. તેમજ દેશી નુસખા અપનાવી શરીરને તંદુરસ્ત રાખવા હોય છે. હજારો વર્ષો જુના આયુર્વેદમાં દેશી ઘીનું સેવન સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી ઝડપથી વિકસતા મેટ્રો સંસ્કૃતિઓના કારણે આપણે આપણી સંસ્કૃતિ અને વારસાને શંકાની દ્રષ્ટિથી જોઈએ છીએ. આવો એક શંકાશીલ આહાર છે, દેશી ઘી... જેનું સેવન કરવાથી મોટાપા વધે છે, પણ આ ધારણા ખોટી છે, દેશી ઘીનું સેવન કરવાથી શરીર અત્યંત તંદુરસ્ત રહે છે. આ આપણે બીમારીઓથી તો બચાવે છે સાથે જ  ગર્ભવતી મહિલાઓ માટે દેશી ઘી અમૃત સમાન માનવામાં  આવે છે. આવો જાણીએ દેશી  ઘીના સેવનથી મળનારા 8 ફાયદા વિશે...

હૃદયની બીમારોઓ થશે દૂર 

                  ગાયનું દેશી ઘી હૃદયની બીમારીઓથી બચાવે છે. દરરોજ દેશી ઘીનું સેવન કરવાથી લોહી અને આંતરડાંમાં સામેલ  ખરાબ કોલેસ્ટ્રોલ ઓછું કરે છે. દેશી ઘી શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલના લેવલને ઓછું કરે છે અને સારું કોલેસ્ટ્રો વધારે છે. દેશી ઘીમાં કેલ્શિયમ, ફોસ્ફોરસ, મિનરલ અને પોટેશિયમ જેવા ઘણા પોષક તત્વ હોય છે. કોલેસ્ટ્રોલના કંટ્રોલમાં રહેવાના કારણથી હૃદય યોગ્ય રીતે કામ કરે છે અને હૃદય સાથે જોડાયેલી ઘણાં પ્રકારની બીમારીઓ ઓછી થાય છે.

રક્ત પરિભ્રમણ

                    દેશી ઘીમાં વિટામિન K-2 પણ સામેલ રહે છે. આ વિટામિન બ્લડ સેલમાં કેલ્શિયમને હટાવવાનું કામ કરે છે, જેથી રક્ત પરિભ્રમણ સારુ રહે છે.

ચરબી ઓછી કરે છે 

                    દેશી ઘી પેટમાં એસિડના પ્રવાહ વધારે છે, જેથી પાચન ક્રિયા સારુ રહે છે. દેશી ઘી શરીરમાં જમા ચરબીને વિટામીનમાં બદલાવાનું કામ પણ કરે છે.

હાડકાંને બનાવે છે મજબૂત 

                    દેશી ઘી  હાડકાંને જરુરી કેલ્શિયમ પણ આપે છે અને તેને મજબૂત બનાવે છે.

સ્કિન 

                    દેશી ઘીને સ્કિન માટે પણ ખુબ સારું માનવામાં આવે છે. તેમાં સામેલ એન્ટીઓક્સીડેન્ટ સ્કિનને મુલાયમ અને કોમળ બનાવે છે.

મઠની  પીડા કરે દૂર

                    તમે પણ ગાયનું દેશી ઘી ખાઓ છો તો તમારા સ્વાસ્થ્ય માટે અત્યંત લાભદાયી રહેશે. ગાયના દેશી ઘીના 2થઇ3 બુંદ નાકમાં નાખવાથી માથું દર્દ ઓછું થાય છે.

નબળાઈ

                    દરરોજ દૂધમાં એક ચમચી દેશી ઘી ઉમેરીને પીવાથી નબળાઈ દૂર થાય છે.

ગર્ભવતી મહિલા 

                    ગર્ભવતી મહિલાએ દેશી ઘી ખાવાથી ગર્ભમાં રહેલા શિશુનું શરીર મજબૂત બનાવની સાથે મગજ પણ તેજ બને છે.

                    નેશનલ ડેયરી રિસર્ચ ઈસ્ટીટ્યૂટ (NDRI)ના રિપોર્ટમાં ભારતીય વૈજ્ઞાનિકોએ દાવો કર્યો કે દેશી ઘીથી કેન્સરનો ખતરો ઓછો થાય છે.



                   અમારો આ Gujarati Article વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર
                   આવાજ રસપ્રદ આર્ટિકલ વાંચવા અહીં ક્લીક કરો<< ગુજરાતી માહિતી >>
ઘણી બીમારીઓથી બચાવે છે દેસી ઘી, તેનું સેવન કરવાથી થાય છે આ 8 ફાયદા ઘણી બીમારીઓથી બચાવે છે દેસી ઘી, તેનું સેવન કરવાથી થાય છે આ 8 ફાયદા Reviewed by ગુજરાતી માહિતી on February 13, 2019 Rating: 5

No comments:

Powered by Blogger.